Monday, August 3, 2009

કોણ હલાવે લીંબડી ને...!

ભાઈ બહેનનો હેત ભર્યો તહેવાર ઍટલે રક્ષાબંધન..બાપ જો વડ હોય તો દિકરો તેની વડવાઈ અને દિકરી બાપ જેવા વડની છાયામાં રમતા રમતા મોટી થાય અને એ જ દીકરી મોટાભાઈ નામની વડવાઈ પર ઝુલી ઝુલીને મધમીઠા ગીતો ગાતાં શીખતી જાય. ..ટૂંકમા મોટો ભાઈ બાપથી સવાયો થઈ બહેનરુપી દિકરીને સાચવતો હોય છે..અને ભાઈ બેની જોડે રહીને આવા ગીતો ગાતો હોય છે..

હું રે બનુ બેન ! વાડીનો મોરલો
આંબાની કોયલ તુ થા રે,
તું મારી બેન ને હું તારો ભાઈ..!

હું રે બનુ બેન રુડો ડોલરિયો,
મીઠી ચમેલડી તુ થા રે,
તું મારી બેન ને હું તારો ભાઈ..!

નાનપણમાં તો ભાઈ બહેન ખુબ હોંશે હોંશે લડે,
"તુ જુઠ્ઠી, તુ જુઠ્ઠો.
તું લુચ્ચી, તું લુચ્ચો."
"મમ્મી....જો ને ભઈ મને પજવે છે..."
આ વાક્ય લખતા બહેનની મીઠી ફરીયાદ ફરી યાદ આવી ગઈ..
અને આંખે.........!

નાનપણમાં એક વાર્તા ભણ્યા હતાં 'પેટમાં બોરડી' જેમાં ભાઈ બહેનને કહે છે કે તુ બોરનો ઠળીયો ગળી ગઈ એટલે હવે તારા પેટમાં બોરડી ઉગશે..અને બહેન ઘરમાં કયાંક છુપાય જાય છે ત્યારે ભાઈ પસ્તાય છે અને બહેનીને યાદ કરતા રડે છે.આવા તો કેટલાય કિસ્સા તમને યાદ કરાવવા છે..

આ રચના ભાઈ બહેનનાં હેતભર્યા બાળપણને સમર્પિત કરું છું.

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..કોણ

હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી....

ભાઈ-બહેનનો આ સંબંધ હંમેશા લાગણીમય રહે એવી શુભેચ્છા સહ...!
-મીત

Friday, July 31, 2009

આ તો નહી ચાલે...!

આ તો નહી ચાલે...! જરા પણ નહી ચાલે..! આવુ તો કંઈ ચાલતુ હશે ? હાશ તો.કેટકેટલા કાલાવાલા કરીએ ને ત્યારે એ આવે છે અને એ આવ્યો પણ હતો ઉમળકા સાથે અને બધાએ પાછો મોક્લી દીધો..!હવે મન નથી લાગતું એના વિના અને હવે કેમ કેમ ચાલશે તમે જ કહો..? એક વાત તો ખરી તમારા જેવુ ડબલ ઢોલ કોઇ નહી...! કાન આમળો તો આ સાચા અને ક્યાંક ભેરવાવ તો તે સાચુ..! શુ કરું..મારી સમસ્યાનો ઉકેલ છે..કેવી રીતે એને પાછો લાવું...?છે કોઇ ઉપાય.?વરસાદને બોલાવવા માટે આટઆટલી રાડારાડ કરી છે...!હા..!ઘણા દિવસ થયા એને મળ્યાને..અને બધાએ ફરીયાદ કરી કરીને એને ભગાડી મુક્યો..બિચારા મોર હવે ગુંગળાય મરશે..! અને હજી સાવ નાના નાના એવા ઝાકળના મિત્ર તૃણ પણ હવે તો ગાયબ થવા માંડશે..કારણકે સુરજ અને માનવીના હૈયાની વરાળ એને ખતમ કરી દેશે..
સાચુ લખ્યુ છે..ભગવતીકાકાએ..!
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,.
એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો.
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,.
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,.
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ.
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા

ભગવતીકાકાની આ વાત કબુલ પણ મને આદિલ સાહેબ આ રચના વડે પજવે છે તેનુ શું?
કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં

વિચારો વરસાદમા અને પછી વરસાદ વિના કેવુ કેવુ થાય..?
તમે પલળી ન જાવ તેના માટે જે ભીંજાતા હોય તેને સજા આપવાની?
તમે સાવ સુક્કા બરછટ હોવ તો જે સુંવાળા હોય તેને સાવ ઘસીને ખરબચડા બનાવી દેવાના?
જાતે વરસવું નથીને જે વરસે તેને આવવા દેવું નથી..કેમ?
દુઆ કરો કે વરસાદ વહેલો આવે નહિતર ઘણા ચાતકો,ઘણા મોરલા,ઘણા મીત પરવારી જશે..ધરતીનો વિરહ તમને શાંતિથી જીવવા નહિ દે...દુઆ કરો..!

Wednesday, July 22, 2009

પાંચમું ગૃહ કવિ-સંમેલન

કાંઈ રમ્ય લાગ્યું જતા કાફલામાં
ભળી હું ગયો ચાલતા કાફલામાં
ને વિસ્મય જુઓ ખોજ કરતો’તો
જેની-સતત કાફલો , એ હતા કાફલામાં !

- મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
આવો અહેસાસ તમને પણ થશે જ્યારે તમે જોડશો અમારા પાંચમા ગૃહ કવિ-સંમેલનમાં...! હા મિત્રો આ વખતે વરસાદના અહેસાસ વચ્ચે આ કવિ-સંમેલન રાખવાની ઇચ્છા હતી અને માનો એ પુરી થઈ..આ વખતના આપણા મુખ્ય મહેમાન છે,દુનિયાભરમા ગુજરાતી કવિતાને ખુણે ખુણે સુધી પંહોચતા કરનાર ડો.વિવેક ટેલર.જેઓ 'લયસ્તરો','શબ્દો છે મારા શ્વાસ' વેબસાઈટના સંચાલક છે.વિવેકભાઈ લખે કે,
"હું તને લઉં શ્વાસમાં ઊંડે અને મૃત્યુ મળે,આખું જીવન જીવી લઉં હું ફક્ત એ એક જ પળે;કેદ આજીવન રહે તું એ રીતે મારી ભીતર,હું ના રહું તો શી રીતે ઉચ્છ્ વાસ પાછો નીકળે?"
આવો આવા કવિને મળવાનો લાભ ન ગુમાવતા એમને મળીએ અને તરબતર થઈએ કવિતા ગઝલના રંગે...હંમેશની જેમ...!
સ્થળઃશ્રી વિમલભાઈ અને શ્રીમતી સંગીતાબેન ૨૦૧૨ ચિન્મય એપાર્ટમેન્ટ,આનંદમહેલ રોડ, શ્રી રામ પેટ્રોલ પંપ સામે, અડાજણ, સુરત. સંપર્ક મીત-૯૯૯૮૬૮૩૦૬૨

Monday, July 20, 2009

કોલેજસ્ય પ્રથમ દિવસે..!

કેમ છો?

તમારી તો ખબર નહિ પણ હુ ખુબ મઝામાં છું! ખબર છે કેમ? કારણ કે આજે મારો મારી કોલેજમાં પહેલો દિવસ હતો..ખરેખર મઝા પડી ગઈ..જે કોલેજમા સાવ મુગ્ધ બની વરસતા હતા તેમા સભાન બની વરસવાની મઝા જ કઈ અલગ છે.અને પહેલા દિવસે તો સાહેબે ધમાચકડી કરી નાંખી..વાત એમ બની કે કેટલાક વિધાર્થીઓ ગુજરાતીભાષી નહોતા.અને તેમણે માંગણી કરી કે હિન્દી અથવા અંગ્રેજીમાં પણ સાહેબ બોલે...બસ આ બંદાએ ઐતિહાસિક વિધાન કર્યુ કે," કાયદાને ભાષા જોડે ખાસ લેવાદેવા છે એટલે ગુજરાતી વધારે અનુકુળ રહેશે."તો સાહેબએ હા કરી ને જય જય ગરવી ગુજરાત..! અને પછી ચાલુ થયુ શુન્ય ચોકડી રમવાનું..ખરેખર કોલેજો ક્યારેય ઘરડી થતી નથી એ સદા ચિરયૌવના રહે છે..અને એથી જ કોલેજમા ભણનારા યુવાન બની જાય છે.અને યાદ આવી આસીમ રાંદેરીની આ રચના...

યુવાની મુહબ્બતના દમ લઈ રહી છે,

મને દિલની ધડકન ખબર દઈ રહી છે,

પ્રણય-રૂપના રંગ જોવાને માટે

બધાની નજર એ તરફ થઇ રહી છે..

જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે

કમલ જેવા કરમાં એ પુસ્તક ઉઠાવી,

પ્રણય-ઉર્મિઓ મનની મનમાં શમાવી,

મનોભાવ મુખ પર ન દેખાય તેથી

અદાથી જરા ડોક નીચી નમાવી,.

મને અવનવી પ્રેરણા દઈ રહી છે !

જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે

આવી ઘણીબધી લીલાઓને જતી જોઈ...! ખુબ નસીબદાર છે એ લોકો જેમને કોલેજમા ભણવાની તક મળે છે..કોલેજમા ભણેલા અને ભણતા સહુ ને ખુબ ખુબ શુભેચ્છાઓ..મીત તરફથી...!

છોકરીનાં હૈયામાં ચોમાસુ બેઠુ ને....પછી!

ને પછી ધોધમાર રીતે વરસી પડ્યો છોકરા પર..!
વરસાદ ભરપુર રીતે આવ્યો અને માનો આખા શરીરમાં વીજળી ત્રાટકી..
અને યાદ આવ્યુ મુકેશ જોષીનુંઆ ગીત.વરસાદની મૌસમ મને ખાસ ગમે છે..કારણ માત્ર એટલું જ નથી કે હું યુવાન છું.પણ કારણ એ પણ છે કે જેને પરસેવો થાય તેને પણ વરસાદ ખુબ ગમતો હોય છે.પરસેવે રેબઝેબ હોવ અને વરસાદ અચાનક તુટી પડે ત્યારે થાય કે જાણે એકલતાથી પીડાતા માણસને કોઇએ બાથમાં ભરી લીધાનો અહેસાસ થાય..
આથી વરસાદ ગમે છે..કમ સે કમ એ તો હુ જેવો છું તેવો જ સ્વીકારીને મને અપનાવે છે.પહેલા એક મુકતક વંચાવું

" છોકરી એ કહ્યુ.. ઇન્દ્રધનુષ...
ને છોકરો લઇ આવ્યો.. પ્રિઝમ નો કાંચ..
એય શું કરે બિચારો..
કયાંય ના મળ્યું વેચાતું આકાશ.. !!"

"છોકરીનાં હૈયામાં ચોમાસુ બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી.
કૂંપળ ફૂટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી.."

"છોકરાએ મનમા સગાઈ કરી
છોકરીને ભેંટમાં દીધેલુ ઝાપટું
ખિસ્સામાં માંય નહિ, છાતીમા
મુકે તો છોકરાને દર્દ થાય સામટું
છોકરાનાં હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી....."

"છોકરીનાં હૈયામાં ચોમાસુ બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી."

-મુકેશ જોષી.

Wednesday, June 17, 2009

ચચરાટ જન્માવતો પત્ર

માનવતાના નામે બુમરાણ મચાવતી પ્રજાને એક પત્ર... તે પણ ચચરાટ જન્માવતો પત્ર..સુરતની પ્રજાનો વિરોધ ચરમસીમાએ હતો જ્યારે ગેંગરેપની ઘટના થવા પામી પણ...આ ગેંગરેપ પછી કેટલા બધા ઉઝરડા પડયા હશે એ માસુમ પર જો એણે તે દિવસના છાપાઓ વાંચ્યા હશે..મોટાભાગના છાપાવાળાઓએ જાણે નજરો નજર નિહાળીને ખબર છાપી હોય તેમ શબ્દે શબ્દે બળાત્કાર કરવામાં કોઇ કસર ના છોડી...અરે તક જોઇને હિન્દુ-મુસ્લિમના નામે કોમી કરાવવા સુધીની માનસિક્તા ધરાવનારા આપણે જ ને?
કોઇનો ગુસ્સો બીજા બધા પર..? ક્યાં નો ન્યાય...?

ચાલો થોડા ઉદાહરણો આપીએ..
૧.જ્યારે હિન્દુ સમાજમા એક વહુના કુખે બાળકી જન્મે ત્યારે નિરાશ થતા સાસરીયા કે જે વહુનુ જીવવાનુ હરામ કરી દે તે સાસરીયાને સમજાવવા કહેવાતા સંસ્કૃતિ રક્ષકો ક્યાં જાય છે ?

૨.તેવી જ રીતે સ્ત્રીને પગ તળે રાખવાની આદત ધરાવાતા ઈસ્લામી લોકોની માનસિકતાને શુ કહીશું ?

૩.વસુધૈવ કુટુંબકમ શીખવતા ભારતમાં રાજ ઠાકરે જેવી માનસિકતા નથી ? પછી અન્ય દેશોમા આપણા "ભારતીયો માર ખાય તેમા ખોટુ શું છે ? "

૪.ખબર હોવા છતા બાળકને રીક્ષાઓમા ખીચોખીચ ભરીને મોકલતા વાલીઓની માનસિકતાને શુ કહીશું ?

૫. અરે પોતાના બાળક્ને માતૃભાષા શીખવાડવા પણ જે વાલીઓ ટ્યુશન અપાવે તેમને શુ કહીશું ?

"આજે બાળકો પાસે અંધારુ નથી સંતાકુકડી રમવા માટે, આજે બાળકો પાસે દાદા નથી વાર્તા કહેવા માટે... "

બાકી વિરોધ કરવા જેવા મુદાઓ ક્યાં ઓછા છે ? તેમાં વિરોધ જે પીડીત વર્ગ છે તે સિવાય કોણ વિરોધ કરવા આગળ આવે છે ?
૧. વીર નર્મદ યુનિવર્સિટી બીજી પરીક્ષા આવી જાય ત્યારબાદ રીએસેસમેન્ટનું રીઝલ્ટ આપે..

૨.સ્થાનિક અમારી ખુદની સ્મીમેર મેડિકલ કોલેજમાં સ્થાનિક છોકરાઓ માટે ક્વોટા નથી.

૩.અમદાવાદ યુનિવર્સિટીમાં ફર્સ્ટ લીસ્ટ ફર્સ્ટ નેમ તરીકે એડમિશન લો તો આઉટ ઓફ યુનિવર્સિટીના છોકરાઓ માટે હોસ્ટેલમા જગા નથી.

૪.૫૫% મેળવેલ પછાત ઉમેદવાર સામે ૮૫% મેળવેલ બિન અનામત ઉમેદવાર ડોકટર બનવા ગેરલાયક ઠરે છે.

૫. ખાનગી શાળાઓ મરજી મુજબ ઉઘાડી લૂંટ સામે દરેકને ડર છે..

૬.અન્યાયનો પર્યાય સિવિલ હોસ્પિટલોમા વિરોધ જોયો છે?

દરેકને આવા ટાઈમે ગાંધી યાદ આવે છે જે એમને અન્યાય સામે ન્યાય અપાવે,અને પછી સતત જુની પેઢીના વાંકે નવી પેઢી વડે ગાળો ખાય..

વાત તદન સ્પષ્ટ છે.વાત છે તકલાદીપણાની , હા આપણા સ્વાર્થી પણાની....
અને અંતે .......,

ચચરાટઃ
મારી આ બધી વાતો વાંચી મમળાવી છતાં ઘણા કહેશે.."અમે આવી નેગેટીવ વાતો વિચારતા નથી..
B positive..

Friday, June 5, 2009

પ્રેમ ઍટલે કે ?

પ્રેમ પ્રેમ પ્રેમ...! જ્યાં જાવ ત્યા આ શબ્દ પર ભાષણ આપનારા મળી જતા હોય છે.પણ પ્રેમને લગતો એક સવાલ મે મારા મિત્રોને મોકલ્યો અને જવાબ વિધવિધ રંગી આવ્યા..ચાલો તમે પણ માણો..અને હા કંઈક ઉમેરવુ હોય તો મારા સ્ક્રેપ બુકમા લખી નાખો...............

1.હું તો પ્રેમને લાગણીનો ભંડાર સમજુ છું.જેમાં અપેક્ષા ન હોય પણ અપેક્ષા તો રખાય જ જાય છે એ માનવ મનની મજબૂરી છે. જેમાં ફક્ત આપવાની જ ઈચ્છા થાય લેવાનો વિચાર સુધ્ધા ન આવે જેને હેત કહી શકાય મારે મતે. કારણ જ્યારે વીંછણ પોતાના બચ્ચાને પેટમાં રાખે ત્યારે તેને ફોલી ખાય છ્તાં હરફ સુધ્ધાં ન ઉચ્ચારે અને જીવન ન્યોચ્છાવર કરે એમાં પ્રેમ સમાયેલો હોય આતો કોઈક દેખાવડીના દર્શન માત્રથી આકર્ષાય અને હું તને પ્રેમ કરું છું તેમાં અસમાન ધ્રુવનું આકર્ષણ જ હોય એ સ્વભાવિક છે.પ્રેમ એટ્લે તમે અમને જેમ સ્ક્રેપ મોક્લો , ક્યાં અપેક્ષા હોય છે એમાં ? બસ બાકી બધું તો મારા મતે સ્વાર્થ અને આકર્ષણ માત્ર જ છે જવાબ યોગ્ય હોય કે ના પણ હોય આ તો મારો મત છે એને માન્ય જ રાખવું એવું જરૂરી નથી કારણ એ મારી માન્યતા,સર્વ સામાન્ય ન પણ હોય !!
-હિતેન્દ્ર પરમાર

2.prem atle ek evo ahesaas je darek vyakti paase thi alag alag male che...jem k...Maa no prem huf aape....Baap no prem vishwaas aape..Bhai Bahen no prem Laagni vadhare...Girl friend no...... prem hoy che kharo??????prem atle ek evu pakshi j tamara haath ma kadi nahi aave.... dur thi tamne sundar dekhay pan paase thi joya a tamne heran pareshan kari muke..... aana thi vishesh to su kahu mitra......
-Sangeet

3.love is to share feelings with each other ...........l:lotso:ofv:variation ine:either in love or in hatelove gves not but the mutul understand how to share feeling wid each other .............some time betrayal also.............
-Rakesh

4. મારા મતે પ્રેમ એટલે......આ પ્રશ્નનો ઉત્તર આપવા ઘણો પ્રયત્ન કર્યો.........પણ જવાબ ટાઇપ કરુ અને વળી પાછો ભુસી કાઢુ કેમ કે શું લખવુ તે ના સમજાયું......કદાચ આ અસમજ ને પ્રેમ કહેવાતો હશે કેમ??હા આવુ જ હશે કેમ કે તમને જવાબ આપવામાં મારે ખુદને પ્રશ્ન પુછાય ગયો....
-Pradip Savaliya

5. bhai tame to bahu aghro sawal puchi nakhyo...jeno jawab aapvo mushkil che....... aena jawab ni apexa tamara pase thi j rakhu chu...........
-Yogi

6. J koi pan hoi pa6i te Ma-Bap hoi Ben-Bhai hoi k pa6i Patni-Priyatama k Dikara-Dikari hoi jena mate Apana Dil ma tena mate kai pan Kari 6utvani taiyari hoi tana mate kai pan Tyag karvanu mann thai k pa6i tene mate Sampurn Samarit thai javani Bhavana hoi to te tena Pratia no "PREM" 6 ha tema Bhagavan pan aavi jaai jena Udaharn tarike Radhakrishna ane Meera ne pan lai sakai 6 Ej PREM 6 Ej PREM 6...
-Kiranbhai

7.મારા મતે...પ્રેમ એટલે કોઇ છોકરા છોકરી નો પ્રેમ જ નહી...પ્રેમ તો કોઈ પણ નીર્જીવ વસ્તુ સાથે પણ થઈ શકે..કોઈ ને પ્રાણીપક્ષી સાથે ...તો કોઇ ને જેનુ અસ્તિત્વ નથી એની સાથે પણ થઈ શકે..પ્રેમ માત્ર કલ્પના પણ હોય શકે....પ્રેમ મા માયા,ઈર્ષા ,મોહ ને જગ્યા નથી હોતી..જેતે વસ્તુ કે જીવ મા મોહ હોય તેને પ્રેમ ના કેહવાય ....એનુ મોહ મા જ અલ્પવીરામ મુકાય જાય છે...
-RAJANI TANK

8.hmmmm prem etle prem ani vyakhya nai apaay....!haaaaa prem ne biju to niswarth bhavna,tem j sampurna sampan ni bhavna, bhakti kahi shakay!tame ek nana balak joi ne k koi pakshi k koi prani ne joi ne marmik lagni anubhavo ,ne ene pase leta j jo mandir ma hovano anubhav thai te prem......!
-Nutan Surati

9.tame prem karya vina kashu na kahi shako.. ane hu haju to prem mapadi nathi to .. I don;t know what is love?
-Urvashi

10.are meet bahi aa saval no jawab aapva mate em to kai vicharvu nai pade pan vicharva valao e to aakhe aakho gazal sangrah lakhi nakhyo che...prem etle shu???aam jova jai e to prem e 2 j words no sabd ch pan koi vyakhya ma bandhay evo sabd nathi..prem etle shu e janva mate fakt jaat anubhav ni jarur che....prem etle.....bas badhe tamari premika ne ena vicharo....darek chokari ma potani premika na darshan etle prem....bas haju lakhva jaish to nibandh thai jashe...in sohort prem etle....vina sabiti e swikarelo purva dharna!!!!!
-Maulik Desai

11.

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,

આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.


હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,

પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.


બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,

એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,

શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,

શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,

આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,

ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

- વિવેક

12. PREM ETLE APNA MANAS( HUMAN) HOVA NU PRAMAN PATRA.

-RUPANG KHANSAHEB

13.
પ્રેમ એટલે કે એક છોકરીનાં ગાલ પર ફૂટેલી લાલી ને છોકરાંએ સિટીનો હિંચકો બનાવીને છોંકરીને ઝૂલવાનું આપેલું ખુલ્લે ખુલ્લું આમંત્રણ. !!

-Vrushti Shah.

14.Prem etle k sav khuli aankho thi thato malvano vaydo...Kharekhar prem ni defination bav aghari che ene shabdo ma na varnavi shakay e to ek ehshas che j matr mehsus kari shakay..

-Vishva

15. prem etle JIVavu

-Mehul Surati

Wednesday, May 20, 2009

તૃતીય ગૃહ કવિ સંમેલન

કેમ છો? તમને અહિ પત્ર લખવાનુ કારણ એ હતું કે તૃતીય ગૃહ કવિ સંમેલન ખુબ યાદગાર રહ્યો..કારણ કે જ્યારે ગુજરાતના જાણીતા કવિ ડો.રઈશ મણિયાર પોતાના કંઠે કાવ્ય સંભળાવે અને શરુઆત કરે કે,"આખુ જીવન અમે ધીરે ધીરે લખ્યું,રેત પર જેમ પાગલ સમીરે લખ્યું !" તો શું થાય? મઝા પડી જાય ને સમઝો મઝા પડી ગઈ...અને માનો આખી સાંજ અમારા માટે રમણીય બની ગઈ..આજના કવિ સંમેલન ની ખાસિયત એ હતી કે, તેમા કવિશ્રી રઈશભાઈએ અમને ગઝલલેખન,કાવ્ય ઉત્પતિની કથા સંભળાવી.અને એ બધુ જાણ્યા પછી બસ અમે એક જ વાત કહેતા હતા કે ખરેખર આજે આ ગૃહ કવિ સંમેલન પ્રવૃતિ સફળ થઈ.અને એટલું જ નહિ કાર્યક્રમની શરુઆત જેમ રઈશભાઈએ કરી હતી તેમ પુર્ણાહુતિ પણ તેમણે જ કરી..એમની હઝલ સાથે...કે ( પિયર ગયેલી પતિઓની આનંદ અભિવ્યકિત)

"દિલને ઘણી છે હાશ તમારા ગયા પછી,ઓછો થયો છે ત્રાસ તમારા ગયા પછી,
દુઃખ છે મને ના ખાસ તમારા ગયા પછી.,રામો થયો છે ઉદાસ તમારા ગયા પછી.

પિયરની સાથે પ્રાસ બિયરનો મળી ગયો,રણકી રહયા છે ગ્લાસ તમારા ગયા પછી,
ખો ખો રમતી હતી તું દરરોજ તું મનેને ખેલુ છું રોજ રાસ તમારા ગયા પછી.."

હવે જ્યારે ગૃહ કવિ સંમેલન આયોજીત થાય ત્યારે ચોક્કસથી આવજો..
તો આ સાથે મીતના જય શ્રી કૃષ્ણ..!

"જેવા સાથે તેવા"

કેમ છો?
માણસ નામે જીવવું ખરેખર બહુ ભારે કામ છે..ગઈ કાલે સફર દરમ્યાન કેટ્લાક હોર્ડિંસ વાંચવા મળ્યા.."મા બાપને દુઃખ આપનારો માણસ પશુ છે..! " પણ હુ આ વાત સાથે સંમત નથી..મે ઘણા મા બાપોને જોયા છે,જેઓ માત્ર જવાબદારી પુરી કરી દેવાના બહાના હેઠળ પોતાના સંતાનોને બરબાદ કરતા હોય છે. "દિક્રરીને ના પરણાવીએ તો સમાજ શુ કહેશે." મારા જીવનમા જોયેલી ઘટના જ કહું. કોલેજ ટોપ કરતી છોકરીને એની મા કે જે સરકારી નોકરી કરતી હતી તેને ઍટલા માટે પરણાવી દીધી કારણ કે છોકરીનો બાપ નહોતો..આજે એ છોકરીને જોઉ છુ ત્યારે અપાર વેદના અનુભવુ છુ.વિસ્મયતાથી ભરેલી આંખો સાવ ઉંડી ઉતરી ગઇ હતી..હંમેશા ઝરણા જેમ ઉછળતી તે હવે માત્ર એક શો - પીસ બની ને રહી ગઈ.છોકરો બી.કોમ. પાસ,૪૦૦૦ રુપિયાની નોકરી કરે અને છોકરી એને મદદ કરવા બીજી નોકરી કરે.. બીજા એક કિસ્સામા કાદવ વચ્ચે કમળ ખીલે તેમ છોકરી ભણે.ખુબ અરમાનો પોતાન ખભે ઉભા થવાના,પણ એને પણ પરણાવી દેવાઈ, તે પણ એક શરાબ પીતા નાના નોકરીયાત સાથે...."દિકરો ઘરે આવે ને માતા પિતા, "કેમ છે દિકરા?" એમ પુછવાને બદલે એમ પુછે કે શુ લાવ્યો..? તો કેવું લાગે..? " અરે મા બાપ અહિ સુધી કહી દે કે,"તમને પેદા શુ કામ કર્યા કમાવા માટે જ ને...!" તો આવા મા બાપનુ શું કરવુ? આવા તો કેટકેટલા કિસ્સા જોયા છે..મા બાપને ભુલશો નહિ કહેનારાઓને એક વાર આવ દિકરા દિકરીઓની વેદના બતાવવા જેવી છે.મા બાપ હોવું એટલું જ પુરતું નથી પણ મા-બાપ બનવું વધારે અગત્યનું છે. પણ કોણ સમજાવે કે જુલ્મ કરતા મા-બાપના દિકર દિકરીઓ પર શુ વીતે છે.?
અને આનો ઉપાય એ જ છે કે "જેવા સાથે તેવા" ભલે ગામ આખુ જે કહેવાનુ હોય તે કહે.. કેમ ખરુ કહ્યુને ?

આવા જ એક કિસ્સાનો એક ભાગ અને એક સાક્ષી..-મીત

Wednesday, May 6, 2009

ભગવાનને તેમના ફેક્સનો જવાબ

પ્રિય હરિ,
સૌપ્રથમ તો કેમ છો? કુશળ હશો અને રહો...તમારો ફેકસ મળ્યો.ગમ્યું કે ચાલો તમને યાદ તો આવ્યુ કે મીત તમને યાદ કરે છે..સાચુ કહુ તો એક વાતે ખુબ ખુશ છુ..તમે જેટલા દુર હોવ છો એટલા જ સારા કામો હુ કરી શકુ છુ..તમને થશે આવું કેમ ? તો સાહેબજી વાત એમ છે કે જો ઘરનું કોઇ પોલીસમા હોય તો ઘરવાળાઓના ગુન્હા વધી જતા હોય છે..અને તમે તો આખા જગતના જમાદાર !તો તમે કાયમ સાથે રહો તો ખરાબ કામો થવાની સંભાવના વધી જાય છે.હરિ પાછલા દિવસો ખુબ વસમા વીત્યા છે.તમારી યાદ પણ ખુબ આવી.થયુ ! લાવ એકાદ તમને ગમતુ ગીત ગાઉ.તમને પણ મજા પડે અને સાથે મને પણ. હરિ બધા કહે છે કે તુ ખરેખર નસીબદાર છે કે હરિવરના પત્રો મળે છે તને..હરિ મને કોઇ વાંધો નથી.તમારે જેટલાને મદદ કરવી હોય કરો.જે દી તમને દિલથી યાદ કરુ તે દી ઝડપથી આવી જજો.આમ પણ હવે ગાંઉ છુ,
"દુઃખ ભરે દિન બીતે રે ભૈયા
સુઃખ ભરે દિન આયો રે......."
હા, હરિ ખુબ ખુશ છુ અંધજન શિક્ષણ મંડળમા કામ કરીને..અહિના સંચાલકો ખુબ સારા છે.મારા નવા નવા વિચારો ને હંમેશા પ્રોત્સાહન આપે છે.કોઇ પણ કામ સફળ રીતે પતે એટ્લે એમના તરફથી શુભેચ્છા ચોક્કસ મળે.ભુલ કરુ તો ઠોકર નથી મારતા પણ ટ્કોર કરી મઠારે છે.અને હા બાળકો માટે પુસ્તકો બનાવવાની શરુઆત મે કરી દીધી છે.લગભગ બધા વિષયોમા શરુઆત થઈ ગઇ છે. હરિ એક મસ્ત કિસ્સો કહુ જે હમણા મારી સાથે થયો.શહેરના એક જાણીતા સજ્જ્ને(એમની દ્રષ્ટિએ સજ્જન)એમ પુછ્યુ કે તારી તબિયત કેમ વધે છે? મે કહ્યુ કે સાહેબ મારા જીવનમા હવે શાંતિ છે.મારા બોસ બહુ સારા છે, તો એ સજ્જ્ને એમ કહ્યુ કે ના તું અંધ લોકો માટે કામ કરે છે તો તારુ કામ નહિ જોવાતુ હોય.મે કહ્યુ," સર તમારી વાત સાચી છે કારણ કે અંધલોકોમા સંવેદનશીલતા વધુ હોય છે.અને એ લોકોને શ્રધ્ધા હોય છે કે તેઓ જેને કામ સોંપે છે તે કામ સમયસર પુરુ થાય છે,એટ્લે તેઓ મારા કામ ને નથી જોતા.કારણ કે એમને મારા પર સંપુર્ણ શ્રધ્ધા છે.અને સર તમારા જેવા પ્રોફેશનલમા આ સંવેદનશીલતા નથી હોતી. " હરિ એમનું મોઢું જોવા જેવુ હતું.બાકી હરિ શુ ચાલે છે ? તમે એક કળી મારા માટે ખીલવી હતી.મને ખબર છે.પણ તમે બીજા કોઇ માટે ખીલવેલી કળી પહેલેથી જોઈ લીધી હતી.આમ પણ તમે રોજ બધા માટે કંઈ ને કંઈ કરતા રહો છો.પણ બધાને કયાં તમારી કદર છે. જો કદર હોત તો માણસ થઈને ના જીવત..?
તો બસ ચાલો હવે રજા લંઉ..

કંઈ કામ હોય તો સપનામા આવી જણાવી જજો...
મીતના જય શ્રી કૃષ્ણ.

Wednesday, April 1, 2009

ભગવાનનો ફેક્સ

ભગવાનનો ફેક્સ આવ્યો..ખુબ સારુ લખ્યુ છે.લખે છે....

વ્હાલા મીત્,

કેમ લા? કેમ નુ ચાલે છે? બધુ બરાબર છે ને? મને ખબર છે તુ ખુબ જ વ્યસ્ત છે,અને મને મળવા પણ માંગે છે.પણ ભઈલા એક વાત કહેવા માંગુ છુ.કે હમણા હું મંદીમા પડેલી ઘોંચ ને સોલ્વ કરુ છુ.મારા બેટા પહેલા બધા જલસા કરે ને પછી લુંટાય ગયાની બુમો પાડે!ઍટ્લે હમણા ખુબ બિઝી છુ.પણ ફેક્સ કરવાનુ કારણ એ હતુ કે જે વિચારો ને કારણે હુ તને માનુ છુ અને ચાહું છુ એ તારા વિચારોને ટકાવી રાખજે.કારણ કે આવા જ સમયે લોકો તમારા વિચારોને ફોલી ખાતા હોય છે,અને જો તારા વિચારો મા જરાપણ ફેરબદલ કર્યો તો જોઇ લેજે.સાલું તને સાચવી સાચવીને મે મારા ઘણા નિયમો તોડ્યા છે.પણ શુ કરુ તું મારુ કામ કરે છે તો તારી વાત તો માનવી જ પડે ને અને તને ના સાચવુ તો શું કરુ..તારી યાદ એટલા માટે પણ આવી કે તને ખબર છે કે દુનિયા કેવી છે? તને જ ખબર છે કે હું કોની પ્રાર્થના સાંભળતો હોવ છુ.તુ જે સંસ્થામા કામ કરે છે ત્યાં રોજ આવુ છુ.કારણ તને ખબર છે કે એ અંધ બાળકો જ મને ખરા દિલથી યાદ કરતા હોય છે.ઍમની એકે એક માંગણી પુરી કરવાનુ મન થાય.એમની પ્રાર્થના મા જે નિર્દોષતા હોય છે જે બુલંદ અવાજ હોય છે એવુ બીજે કયાંય જોવા નથી મળતી.આથી જ તને અહિ મોક્લ્યો છે.આ બધા માટે તારા જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કર. બાકી કોઇકે લખ્યુ છે ને...
"બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,

ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે"

હવે તું જ કહે મારે શુ કરવુ? અને તું હવે પ્રાર્થનામાં પણ ક્યાં આવે છે? જો મીત મને તારા પર શ્રધ્ધા છે કે તુ મારા કામ પુરા પાડીશ.બસ તારી અંદરની મૃદૃતાને આમ જ જીવંત રાખજે.તું જેમ કોઇને અપમાનિત નથી કરતો તે મને ગમે છે.બસ આવી અહિંસા જાળવી રાખજે.. બોલ બીજુ શુ ચાલે છે? જો ગઈકાલે એક કળી ખાસ તારા માટે ખીલવી હતી..પણ તને મેસેજ ના કરી શક્યો.સોરી બકા..બેલેન્સ નહોતું. મંદીમા બધાના સેટીંગ કરવામા બેલેન્સ પુરુ થઈ ગયું.જો બીજી એક વાત ધ્યાનમા રાખજે.તારા માટે ઘણા કામ નક્કી કર્યા છે.તને મોક્ળાશ હશે ત્યારે જણાવીશ.અરે સાંભળ અહિં તો બધુ મેનેજ થાય છે.તારુ મેનેજમેન્ટ સાચવજે.અને હા તારા માટે એક ગુડન્યુઝ છે.જે તારુ જીવન બદ્લી નાંખશે.અને તારુ જે ધ્યેય છે ત્યાં પંહોચાડશે.એક અંદરની વાત કહુ પેલા ગાંધીજી હતા તેમની ફરી જરુર પડશે.અને તેમની જરુર બધાને વર્તાય છે.તુ મીની ગાંધી બની જા તો પણ તારી નૈયા પાર થઈ જશે.

હાલ પુરતા તો હરિભાઈ ના જય હો....( મે પણ જોઇ છે..)