Tuesday, March 1, 2016

વિકાસના નામે ગુજરાતના શિક્ષણમાં તો ઘણુ બધુ પોલંમપોલ જ છે.

પુર્વભુમિકા-


મોદીસાહેબની મધમીઠી ભાષાના તમામ પ્રેમીઓને સપ્રેમ.

વાસ્તવિકતાને ભુલીને જે મુર્ખના સરદારો માત્ર આંધળો સપોર્ટ કરે છે તેઓ આ લેખ વાંચીને શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી ધંધાદારી વિશે શું કહેશે ? શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભુત જરુરિયાતો ના સંતોષી શકતી સરકાર વિકાસના બણગાં ફુંકે તે કેટલું બધુ હાસ્યાસ્પ્રદ છે.  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન વડે પસંદગી પામેલી યુનિવર્સિટી વિથ પોન્ટેન્શિયલ ફોર એક્સેલેન્સની ૧૫ યુનિવર્સિટીઓની યાદીમાં ગુજરાતની એક પણ નથી. શિક્ષણ બાબતે મોદી સરકારે નકરી કમાણી કરતી ધંધાદારી શૈક્ષણિક સંસ્થાઓ જ પાંગરવા દીધી છે.પછી ક્યાંથી એક્સેલેન્સવાળુ શિક્ષણ મળે કે એવી સંસ્થા વિકસે ? સરકારી યુનિવર્સિટીમાં સીટો જ એટલી મર્યાદિત રાખવાની કે ખાનગી સંસ્થાઓમાં વિધાર્થીઓએ જખ મરાઈને જવુ પડે.

 મૂળ મુદ્દાઓ ભુલાવીને બસ આંજી નાંખે એવા સપના બતાવનારા મોદીજીને શિક્ષણના ખાનગીકરણ માટે એક આખી પેઢી માફ નહિ કરે. અને આ તો માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું જ ઉદાહરણ છે.બીજા તો ઘણા હશે. અને હા મહેરબાની કરી મને દેશદ્રોહીના કહેશો. પૈસાના અભાવે શિક્ષણથી વંચિત રહી જનારા ઘણા વિધાર્થીઓ જોયા છે. અને ૧૦૦૦ રુપિયા જેટલી ફીસ ભરવા કેટકેટલાના દ્વારે જઈ વિનંતીઓ કરી છે એ તો મારુ મન જ જાણે છે.

ફરી કહું છું કે ગુજરાતનો વિકાસ એ ગુજરાતીઓએ કરેલો વિકાસ છે એનું ક્રેડિટ મોદીસાહેબને આપીને ખરેખર તો ગુજરાતી પ્રજા પોતાની ઉચ્ચ ખાનદાનીનો પરચો આપે છે. અને મોદીસાહેબ એ ક્રેડિટ સ્વીકારીને પાક્કા રાજકારણી તરીકેનો પરચો આપતા રહ્યા છે. ક્યાં ગઈ વાંચે ગુજરાત યોજના, ક્યાં પંહોચ્યુ કલ્પસર યોજનાનું કામ ? મેક ઇન ઇન્ડિયાની વાતો કરવાની ને એનો લોગો બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ વિદેશની કંપનીઓને આપવાનો ? ઘરના ઘંટી ચાટે ને પાડોશીને આટો ?  મોદી સાહેબ નેતા તરીકે મને પણ વ્હાલા છે પણ એમના કામની પણ  સમીક્ષા થવી જ જોઇએ.


ભારત સરકારે વર્ષ ૨૦૧૬-૧૭ માટેનું પોતાનું બજેટ રજુ કર્યુ જે કૃષિ ક્ષેત્રને સમર્પિત છે. દર વર્ષની જેમ હિસાબી આંકડાઓ અને વાણિજ્યિક શબ્દોના માર વચ્ચે સામાન્ય માણસ માત્ર એટલું જ સમજી શકે કે શું મોંઘુ થશે અને શું સસ્તું અને આપણી વાર્ષિક આવક પર કેટલો ટેક્સ લાગશે. કલ્યાણની વાતો આવે અને જતી રહે પણ કલ્યાણ ક્યાંય થતું દેખાય જ નહિ. રેલ્વે બજેટ અને વાણિજ્યિક બજેટને સામાન્ય માણસ એક જ માપદંડથી સમજે છે કે આ બજેટ થકી શું સસ્તું થશે અને શું મોંઘુ થશે. પણ વાસ્તિવકતાની ધરી પર ચકાસીએ તો કેટલાક તથ્યો ચોંકાવનારા છે.

જેમ કે ભારતના ખેડુતની સરેરાશ દૈનિક આવક ૬૬ રુપિયા છે અને સરકાર એને ડબલ કરવા માંગે છે એટલે કે ૧૨૨ રુપિયા પ્રતિદિન. ૧૧ કરોડ હેક્ટર જેટલી પડતર જમીનમાંથી ૨૮.૫ લાખ હેકટર જમીન પર સિંચાઈ શરુ કરવાની ખેવના છે.મનરેગા માટે ૩૬,૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે તે પણ કુવા અને તળાવો ખોદવામાં જ વપરાશે.દેશના ૬૮૮ જિલ્લાઓ વાળા ભારત દેશમાં ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં ડાયાલિસીસની સુવિધા શરુ કરાશે. બાકી બધી સવલતો ? ૬ લાખ ૧૫ હજાર જેટલા ગામડાવાળા ભારતમાં માત્ર ૩૦૦૦ જેટલી સસ્તી દવાની દુકાનો ખુલશે. દેશની ૧૬ કરોડ હેકટર જમીનમાંથી માત્ર ૫.૫ કરોડ હેકટર જમીન પર જ સિંચાઈ થાય છે.અને બદતર હાલત કોને કહેવાય તે જુઓ કે ૭૦ ટકા જેટલા ભારતીય ખેડુતો માટે તારણહાર માત્ર હજી ઇન્દ્રદેવ જ છે.આ તો  આજ તક  ન્યુઝ ચેનલએ દર્શાવેલા આંકડા છે. માની લઈએ કે એ લોકો મોદી સરકાર વિરુધ્ધ છે એટલે તેઓ આવી દલીલો કરે છે. તો હવે મારા વડે કરાયેલા નિરીક્ષણની નોંધ લઈ વાસ્તવિકતાને સ્વીકારવાની મહેરબાની પણ કરશો.

પણ દરેક બજેટમાં મારી નજર જે ત્રણ બાબતો પર હોય છે તે છે શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા.

શિક્ષણની વાત કરીએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને જો ઉદાહરણ રુપે લઈએ તો એની વેબસાઈટ પર આપેલા આંકડા પ્રમાણે  સરકારી ગ્રાન્ટ પર નભતી લગભગ ૮૨ જેટલી કોલેજો છે જ્યારે સેલ્ફ ફાયનાન્સની સંખ્યા ૧૪૨ છે.  આદિવાસી પટ્ટાની તો સ્થિતી કેવી મજબુરીવાળી છે તે જુઓ કે તાપી જિલ્લામાં માત્ર ૭  , ડાંગમાં માત્ર ૨  તો નર્મદા જિલ્લામાં માત્ર ૬ કોલેજો જ સરકારી અનુદાન પર ચાલે છે. જેમાં તાપી અને ડાંગ જિલ્લામાં તો વિજ્ઞાનપ્રવાહનું એક પણ અનુસ્નાતક સેન્ટર જ જોવા નથી મળતું.  ચોંકાવનારા આંક્ડા તો અનુસ્નાતક વિભાગમાં મળતા એડમિશનના છે. વીએનએસજીયુના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ઉપલબ્ધ સીટોના આંકડા મુજબ યુનિવર્સિટીના કેમ્પસમાં ચાલતા ડિપાર્ટમેન્ટ અને અનુસ્નાતક ભવનોમાં  લગભગ ૭૬૯ જેટલી સીટો રેગ્યુલર કક્ષાએ ઉપલબ્ધ છે અને ૨૦૮ હાયર પેમેન્ટ સીટો છે (હાયર પેમેન્ટ સીટ માટૅ રેગ્યુલર ફીસમાં ૪ હજાર વધારે ઉમેરીને આપવાના) તો ૧૧૬૫ જેટલી સેલ્ફ ફાયનાન્સ સીટો છે. જ્યારે અલગ અલગ કોલેજોના પીજી સેન્ટરોમાં ૩૪૯૩ જેટલી રેગ્યુલર (જેમાં ૫૦% જેટલી સીટો તો માત્ર આર્ટસ વિભાગના વિષયોની જ છે. એટલે કવિ શ્રી નર્મદના નામે વખણાતી યુનિવર્સિટીને માત્ર કવિ અને સાહિત્યકારો બનાવવામાં જ રસ છે. સંશોધકો, વૈજ્ઞાનિકો બનાવવામાં રસ જ નથી. )અને ૨૨૬૬ જેટલી હાયર પેમેન્ટ સીટો છે.  અને જે વિષયો આજના જમાના સાથે મેળ ખાય છે અને ખુબ જ મોટા પાયે ઉપયોગી છે એવા વિષયો જેવા કે માઈક્રોબાયોલોજી,  મેડિકલ લેબોરેટરી ટૅકનોલોજી, ટૅક્સ મેનેજમેન્ટ, એમ એસ સી કોમ્પ્યુટર ટૅકનોલોજી,એનવાયરોમેન્ટ સાયન્સ, માસ્ટર ઓફ ફિઝીયો થેરાપી, બાયોટેકનોલોજી જેવા જુજ વિષયો જ ઉપલબ્ધ છે અને તે પણ સેલ્ફ ફાયનાન્સ ધોરણે. અને આ વિષયોની તમામ એટલે તમામ ૪૬૫ સીટો સેલ ફાયનાન્સ કક્ષાએ જ ઉપલબ્ધ છે . અને અનુસ્નાતક કક્ષાની બધી સીટોનો સરવાળો કરીએ તો દક્ષિણ યુનિવર્સિટી દર વર્ષે માત્ર ૮૩૬૬ વિધાર્થીઓને જ અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ આપી શકે છે.જેમાંથી ૫૦ ટકા જેટલી સીટ માટે તગડી રકમ ફીસરુપે ભરવા તૈયાર રહો.  યુનિવર્સિટીમાં સરેરાશ ૪૦ હજારથી વધુ વિધાર્થીઓ દર વર્ષે એડમિશન લે છે એમાંથી ૫૦ % પણ જો ગ્રેજ્યુએશન પુરુ કરે તો પણ યુનિવર્સિટી એમને અનુસ્નાતક કક્ષાએ ભણાવવા સજ્જ નથી.એટલે મધ્યમવર્ગી અને ખાસ કરીને આદિવાસી વિધાર્થીઓએ તો આ વિષયો ભુલી જવાના અથવા તો ફીસ ભરવા કાળી મજુરી કરવાની ને ઘરવાળઓ પાસે કરાવવાની.  અને  આ બધી મોકાણ વચ્ચે અનામત સીટોની મોકાણ, અપડાઉન કરવાની પીડા અને પછી નોકરી માટે દોડધામ.

ઓછા ટકાને કારણે લટકતા વિધાર્થીઓની સંખ્યા વધી એટલે એક્ષટર્નલ જેવી શાખા ખોલી ખર્ચા વગર માત્ર પરીક્ષા લઈને સર્ટિફિકેટ આપી દઈને છુટી જવાની દાનત. અને પરિણામ સ્વરુપ ૫૦૦૦થી વધારે વિધાર્થીઓને ભણાવવાની ક્ષમતા ધરાવતી ઉકા તરસાડિયા જેવી પ્રાઈવેટ યુનિવર્સિટી કે જેમાં ૧૯૦૦૦ જેટલી સરેરાશ રકમ તો ખાલી એડમિશન માટે ભરવાની હોય અને કોર્ષ પુરો થતા સુધીમાં એ રકમ લાખોમાં પહોંચે. તો બીજી બાજુ ભગવાન મહાવીર જેવી ખાનગી સંસ્થા કે જેમાં ૧૦૦૦૦થી વધુ વિધાર્થીઓ ભણે. કદાચ સરકારની આવી ઉદાસીનતાને ભાળીને જ ઓરો યુનિવર્સિટીએ પણ સુરતમાં પધરામણી કરી હશે.

સૌથી આશ્ચર્યની વાત તો જુઓ કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન વડે પસંદગી પામેલી યુનિવર્સિટી વિથ પોન્ટેન્શિયલ ફોર એક્સેલેન્સની ૧૫ યુનિવર્સિટીઓની યાદીમાં ગુજરાતની એક પણ નથી. શિક્ષણ બાબતે મોદી સરકારે નકરી કમાણી કરતી ધંધાદારી શૈક્ષણિક સંસ્થાઓ જ પાંગરવા દીધી છે. મૂળ મુદ્દાઓ ભુલાવીને બસ આંજી નાંખે એવા સપના બતાવનારા મોદીજીને શિક્ષણના ખાનગીકરણ માટે એક આખી પેઢી માફ નહિ કરે. અને આ તો માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું જ ઉદાહરણ છે.

મોદી સરકારની શિક્ષણના ખાનગીકરણની જ નીતિનો ભોગ બનીને મનોવિજ્ઞાનનો અધ્યાપક બનતા બનતા જે રહી ગયેલો તે,

-સહુના મનનો મીત
ન્યુઝીલેન્ડ
સંદર્ભ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા માટૅ લિંક
https://pg.vnsguadm.org/Downloads/2_Post_Graduate_Programmes_in_the_University.PDF

મેક ઈન ઈન્ડિયા માટે લોગો બનાવનાર કંપની વિદેશની છે તેનો ખુલાસો માહિતી અધિકાર હેઠળ થયો તેની લિંક
http://timesofindia.indiatimes.com/india/Make-In-India-logo-designed-by-foreign-firm-says-RTI/articleshow/50573386.cms


No comments:

Post a Comment