મીડીયાને વાતે વાતે ભાંડવાની ફેશન ચાલી છે. અને આ બધાની વચ્ચે કેટલાક અવલોકનો વહેંચવા છે. ફેસબુક ટવીટર જેવા સોશ્યલ પ્લેટફોર્મનો કેવો દુરુપયોગ કરી શકાય અને કેવી રીતે લોકોને ભ્રમિત કરી શકાય એના કેટલાક ઉદાહરણો આપવા છે.
૧. દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં 23 માર્ચના રોજ ડેન્ટિસ્ટ પંકજ નારંગની હત્યા થઈ અને લોકોએ એને બાંગ્લાદેશની હારનો બદ્લો ગણાવી બાંગ્લાદેશીઓએ ડોકટરની હત્યા કરી એવો મેસેજ ફરતો કર્યો. અને આ ફોટો ભારતીય જનતા પાર્ટીની વિજેતા મલિક નામની હિસ્સારની સેવિકાએ ફેસબુક પર ફરતો કર્યો. અને એમણે આ ફોટા સાથે લખેલું લખાણ કોમી દંગલ જાળવી રાખવા પ્રેરે એવું છે. હવે આ જ ન્યુઝ બાબતે દિલ્લીના એડિશનલ ડીસીપી મોનિકા ભારદ્વાજ ટ્વિટ કરી લોકોને આ ઘટનાને સાંપ્રદાયિક રંગ ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. અને પછી આમ આદમી પાર્ટી વિરોધીઓ અને મોદી પ્રેમીઓ તુટી પડ્યા.મોનિકા ભારદ્વાજની ટ્વિટ પછી સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને ટાર્ગેટ કરી હતી. ટીકાઓની સાથે અમુક યૂઝર્સે તેમને ગાળો આપતી ટ્વિટ પણ કરી હતી. સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડૉ. નારંગની હત્યા એક ધર્મના લોકોએ કરી હતી. આ મામલે મોનિકાએ ટ્વિટ કરી કહ્યું કે,‘9 આરોપીઓમાં 4 સગીર છે, આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ ન કરો અને શાંતિ જાળવી રાખો.’ મોનિકાએ પોતાની બીજી ટ્વિટમાં લખ્યું કે,‘ધરપકડ કરવામાં આવેલા 9 આરોપીઓમાંથી 5 હિંદુ છે, જ્યારે સૌપ્રથમ જે બે બાઈક સવારો સાથે ડોક્ટરની લડાઈ થઈ હતી તેમાં પણ એક હિંદુ હતો. ધરપકડ કરવામાં આવેલ મુસ્લિમ આરોપી યુપીનો છે બાંગ્લાદેશનો નહીં.’
ઘણાએ મોનિકા ભારદ્વાજના આ અપીલની પ્રશંસા કરી તો ઘણાએ ઉપેક્ષા સહિત એમને ગાળો પણ લખી. ( અને મન કી બાતમાં મોદીસાહેબે દિકરીઓને પોંખવાની વાતકરી હતી જેની સામે જ મોદીપ્રેમીઓ સ્ત્રીઓને અપમાનિત કરતા પણ ખચકાતા નથી.)
૨. કનૈયાકુમારની ટવીટ પર ઇન્ડિયન ક્રિકેટ ટીમના હાર્દિક પંડયાની કમેન્ટવાળો ફોટો સોશ્યલ મીડીયા પર ફરતો જોવા મળ્યો. ટવીટર પર તપાસ કરી તો ખબર પડી કે હાર્દિક પંડયાના નામનો એક ઓફિશિયલ એકાઉન્ટ છે અને બીજો ફેક. અને કનૈયાની ટવીટ પર ફેક એકાઉન્ટથી કમેન્ટ કરાઈ હતી. અને ઘણા લોકોએ આંખ મીંચીને આ ખોટો પ્રચાર કરી હાર્દિક પંડયાને પણ વગર લેવે દેવે રાજકારણમાં ખેંચી લીધો.
ટુંકમાં પોતાને ગમતું સત્ય જ સ્વીકારીને બીજાને ધમકાવીને પોતાનું પ્રિય સત્ય સ્વીકારવા ફરજ પાડતી આખી ટોળકી કામ કરતી જોવા મળે છે. અને આવા માહોલ વચ્ચે કોણ સાચું અને કોણ ખોટું તેની પણ મુંઝવણ થાય. નવાઈ એ લાગે છેં કે આવા પ્રકારની વાતો સામે કેમ કોઇ ફરિયાદ નથી કરતું. નવાઈ તો ત્યારે લાગે કે જ્યારે કેટલાક ભણેલા ગણેલા અક્કલમઠ્ઠાઓ પણ હિન્દુ-મુસ્લિમ કોમી તિરાડમાં વધારો કરતા જોવા મળે. વાતે વાતે દેશભકિત, રામરાજ્ય જેવા મુદ્દાઓ લાવી ભાજપ મોવડીમંડળ જનતાને એમના વિકાસના મુદ્દાઓથી ભ્રમિત કરી રહ્યુ છે. ડો. નારંગ નો મુદ્દો, કે ભારતનો ઓસ્ટ્રેલિયા સામે જીતનો મુદ્દો આવ્યો એટલે વિજય માલ્યાનો આખો કેસ કોરાણે મુકાય ગયો. અને સાહેબ કહે કે અમે પાઈ પાઈ વસુલીને રહીશું. અને જો ન વસુલી શક્યા તો ?
ટુંકમાં કહેવાનો તાત્પર્ય એટલો જ કે કોઇ પણ ખબર મળે તો એની પુરતી તપાસ કરો નહિતર ક્યાંક કોઇક દુર્ધટના ફેલાવવાની એક સાંકળ તમે પણ બની જશો.
हमारा युवा साहसिक हो, जहां कभी पैर नहीं रखा है, वहां पैर रखने का उसका मन होना चाहिए।-
-નરેન્દ્ર મોદી મન કી બાત ૨૭ માર્ચ ૨૦૧૬
સાહેબ યુવાનને તો ઘણું કરવું છે પણ તમે એને ભણતરનો પાયો તો વિનામુલ્યે આપો. શિક્ષણના વેપારીકરણનું કઈ કરશો તો અમે માનીશું કે તમોને વોટ આપ્યો તે લેખે લાગ્યો.
૧. દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં 23 માર્ચના રોજ ડેન્ટિસ્ટ પંકજ નારંગની હત્યા થઈ અને લોકોએ એને બાંગ્લાદેશની હારનો બદ્લો ગણાવી બાંગ્લાદેશીઓએ ડોકટરની હત્યા કરી એવો મેસેજ ફરતો કર્યો. અને આ ફોટો ભારતીય જનતા પાર્ટીની વિજેતા મલિક નામની હિસ્સારની સેવિકાએ ફેસબુક પર ફરતો કર્યો. અને એમણે આ ફોટા સાથે લખેલું લખાણ કોમી દંગલ જાળવી રાખવા પ્રેરે એવું છે. હવે આ જ ન્યુઝ બાબતે દિલ્લીના એડિશનલ ડીસીપી મોનિકા ભારદ્વાજ ટ્વિટ કરી લોકોને આ ઘટનાને સાંપ્રદાયિક રંગ ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. અને પછી આમ આદમી પાર્ટી વિરોધીઓ અને મોદી પ્રેમીઓ તુટી પડ્યા.મોનિકા ભારદ્વાજની ટ્વિટ પછી સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને ટાર્ગેટ કરી હતી. ટીકાઓની સાથે અમુક યૂઝર્સે તેમને ગાળો આપતી ટ્વિટ પણ કરી હતી. સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડૉ. નારંગની હત્યા એક ધર્મના લોકોએ કરી હતી. આ મામલે મોનિકાએ ટ્વિટ કરી કહ્યું કે,‘9 આરોપીઓમાં 4 સગીર છે, આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ ન કરો અને શાંતિ જાળવી રાખો.’ મોનિકાએ પોતાની બીજી ટ્વિટમાં લખ્યું કે,‘ધરપકડ કરવામાં આવેલા 9 આરોપીઓમાંથી 5 હિંદુ છે, જ્યારે સૌપ્રથમ જે બે બાઈક સવારો સાથે ડોક્ટરની લડાઈ થઈ હતી તેમાં પણ એક હિંદુ હતો. ધરપકડ કરવામાં આવેલ મુસ્લિમ આરોપી યુપીનો છે બાંગ્લાદેશનો નહીં.’
ઘણાએ મોનિકા ભારદ્વાજના આ અપીલની પ્રશંસા કરી તો ઘણાએ ઉપેક્ષા સહિત એમને ગાળો પણ લખી. ( અને મન કી બાતમાં મોદીસાહેબે દિકરીઓને પોંખવાની વાતકરી હતી જેની સામે જ મોદીપ્રેમીઓ સ્ત્રીઓને અપમાનિત કરતા પણ ખચકાતા નથી.)
૨. કનૈયાકુમારની ટવીટ પર ઇન્ડિયન ક્રિકેટ ટીમના હાર્દિક પંડયાની કમેન્ટવાળો ફોટો સોશ્યલ મીડીયા પર ફરતો જોવા મળ્યો. ટવીટર પર તપાસ કરી તો ખબર પડી કે હાર્દિક પંડયાના નામનો એક ઓફિશિયલ એકાઉન્ટ છે અને બીજો ફેક. અને કનૈયાની ટવીટ પર ફેક એકાઉન્ટથી કમેન્ટ કરાઈ હતી. અને ઘણા લોકોએ આંખ મીંચીને આ ખોટો પ્રચાર કરી હાર્દિક પંડયાને પણ વગર લેવે દેવે રાજકારણમાં ખેંચી લીધો.
ટુંકમાં પોતાને ગમતું સત્ય જ સ્વીકારીને બીજાને ધમકાવીને પોતાનું પ્રિય સત્ય સ્વીકારવા ફરજ પાડતી આખી ટોળકી કામ કરતી જોવા મળે છે. અને આવા માહોલ વચ્ચે કોણ સાચું અને કોણ ખોટું તેની પણ મુંઝવણ થાય. નવાઈ એ લાગે છેં કે આવા પ્રકારની વાતો સામે કેમ કોઇ ફરિયાદ નથી કરતું. નવાઈ તો ત્યારે લાગે કે જ્યારે કેટલાક ભણેલા ગણેલા અક્કલમઠ્ઠાઓ પણ હિન્દુ-મુસ્લિમ કોમી તિરાડમાં વધારો કરતા જોવા મળે. વાતે વાતે દેશભકિત, રામરાજ્ય જેવા મુદ્દાઓ લાવી ભાજપ મોવડીમંડળ જનતાને એમના વિકાસના મુદ્દાઓથી ભ્રમિત કરી રહ્યુ છે. ડો. નારંગ નો મુદ્દો, કે ભારતનો ઓસ્ટ્રેલિયા સામે જીતનો મુદ્દો આવ્યો એટલે વિજય માલ્યાનો આખો કેસ કોરાણે મુકાય ગયો. અને સાહેબ કહે કે અમે પાઈ પાઈ વસુલીને રહીશું. અને જો ન વસુલી શક્યા તો ?
ટુંકમાં કહેવાનો તાત્પર્ય એટલો જ કે કોઇ પણ ખબર મળે તો એની પુરતી તપાસ કરો નહિતર ક્યાંક કોઇક દુર્ધટના ફેલાવવાની એક સાંકળ તમે પણ બની જશો.
हमारा युवा साहसिक हो, जहां कभी पैर नहीं रखा है, वहां पैर रखने का उसका मन होना चाहिए।-
-નરેન્દ્ર મોદી મન કી બાત ૨૭ માર્ચ ૨૦૧૬
સાહેબ યુવાનને તો ઘણું કરવું છે પણ તમે એને ભણતરનો પાયો તો વિનામુલ્યે આપો. શિક્ષણના વેપારીકરણનું કઈ કરશો તો અમે માનીશું કે તમોને વોટ આપ્યો તે લેખે લાગ્યો.
