Friday, December 18, 2015

नफरतो का असर देखो, गाय हिन्दु हो गई और बकरा मुसलमान हो गया,ये पेड ये पत्ते ये शाखे भी परेशां हो जाये अगर परिन्दे भी हिन्दु-मुसलमान हो जाये.

नफरतों का असर देखो,
जानवरों का बटंवारा हो गया,
गाय हिन्दू हो गयी ;
और बकरा मुसलमान हो गया.
मंदिरो मे हिंदू देखे,
मस्जिदो में मुसलमान,
शाम को जब मयखाने गया ;
तब जाकर दिखे इन्सान. 
ये पेड़ ये पत्ते ये शाखें भी परेशान हो जाएं
अगर परिंदे भी हिन्दू और मुस्लमान हो जाएं
सूखे मेवे भी ये देख कर हैरान हो गए
न जाने कब नारियल हिन्दू और
खजूर मुसलमान हो गए..
न मस्जिद को जानते हैं , न शिवालों को जानते हैं
जो भूखे पेट होते हैं, वो सिर्फ निवालों को जानते हैं.
अंदाज ज़माने को खलता है.
की मेरा चिराग हवा के खिलाफ क्यों जलता है......
मैं अमन पसंद हूँ , मेरे शहर में दंगा रहने दो...
लाल और हरे में मत बांटो, मेरी छत पर तिरंगा रहने दो....
जिस तरह से धर्म मजहब के नाम पे हम रंगों को भी बांटते जा रहे है
कि हरा मुस्लिम का है
और लाल हिन्दू का रंग है
तो वो दिन दूर नही
जब सारी की सारी हरी सब्ज़ियाँ मुस्लिमों की हों जाएँगी
और
हिंदुओं के हिस्से बस टमाटर,गाजर और चुकुन्दर ही आएंगे!
अब ये समझ नहीं आ रहा कि ये तरबूज किसके हिस्से में आएगा ?
ये तो बेचारा ऊपर से मुस्लमान और अंदर से हिंदू ही रह जायेगा.......

વાહ શું અદભુત વાત આ આખીય રચનામાં સમાયેલી છે અને અંહિ જાવેદ જાફરીની સ્પીચવાળો વિડીયો એ તમામ હિન્દુ-મુસ્લિમ કટ્ટરપંથીઓને સણસણતો તમાચો છે જે લોકો એમ માને છે ને ધારે છે કે ભારત માત્ર હિન્દુઓનો દેશ છે અને ઇસ્લામ નો વિસ્તાર વિશ્વ આખામાં થવો જોઇએ. 
સાલા  કેવા અને કેટલા ખંધા છે એ હિન્દુ કટ્ટરપંથીઓ કે જેઓ શાહરુખ-આમીર બોલે તો તે બન્ને સામે મુસ્લિમ હોવા માત્રને કારણે હિન્દુત્વનો ઝંડો લઈને વિરોધ કરવા નીકળી પડે, ફિલ્મો ચાલવા ના દે અને તોડફોડ કરે અને એવા જ ખંધા એ મુસ્લિમ કટ્ટરપંથીઓ પણ છે કે જેઓ શાહરુખ -આમીરને તે બન્ને માત્ર મુસ્લિમ  હોવાથી તે બન્ને ને સપોર્ટ કરવા માટે જ નીકળે. અને વાતે વાતે કહે કે ભારતમાં મુસ્લિમો સુરક્ષિત નથી. પેલો ઉત્તરપ્રદેશનો આઝમ ખાન આમાનો એક છે.  અંગ્રેજો ગયા અને ભાગલા કરી રાજ કરવાની નીતી ખંધા રાજકારણીઓને શીખવી ગયા. ગરીબી, બળાત્કાર , બેરોજગારી, સુરક્ષા, ટ્રાફિક જેવા પ્રશ્નો તો પત્તર ફડાવા ગયા. પણ બોસ "આપણો ધર્મ અને એની રક્ષા તો કરવી જ પડે." વાહ કહેતા ભી દિવાના ને સુનતા ભી.



ઉમાશંકર જોશી જેવા ગુજરાતના ઉમદા કવિ કે જેઓ કહીને ગયેલા કે
" વ્યક્તિ બની બનું વિશ્વમાનવી
માથે ધરુ ધૂળ વસંધરાની."
 એમના જ ગુજરાતમાં હિન્દુ-મુલ્સિમ તરીકેનો રાગદ્વેષ હજી પ્રવર્તે છે. 
વિક્સિત પ્રજાની એકમાત્ર અવિક્સિત માનસિક્તા.

વાંચો અને વિવેકપુર્વક વર્તો. વિશ્વ આખુ જુએ છે ને સમજે છે કે ભારત કેવો અને કેવા લોકોનો દેશ છે.



No comments:

Post a Comment