Wednesday, May 20, 2009

તૃતીય ગૃહ કવિ સંમેલન

કેમ છો? તમને અહિ પત્ર લખવાનુ કારણ એ હતું કે તૃતીય ગૃહ કવિ સંમેલન ખુબ યાદગાર રહ્યો..કારણ કે જ્યારે ગુજરાતના જાણીતા કવિ ડો.રઈશ મણિયાર પોતાના કંઠે કાવ્ય સંભળાવે અને શરુઆત કરે કે,"આખુ જીવન અમે ધીરે ધીરે લખ્યું,રેત પર જેમ પાગલ સમીરે લખ્યું !" તો શું થાય? મઝા પડી જાય ને સમઝો મઝા પડી ગઈ...અને માનો આખી સાંજ અમારા માટે રમણીય બની ગઈ..આજના કવિ સંમેલન ની ખાસિયત એ હતી કે, તેમા કવિશ્રી રઈશભાઈએ અમને ગઝલલેખન,કાવ્ય ઉત્પતિની કથા સંભળાવી.અને એ બધુ જાણ્યા પછી બસ અમે એક જ વાત કહેતા હતા કે ખરેખર આજે આ ગૃહ કવિ સંમેલન પ્રવૃતિ સફળ થઈ.અને એટલું જ નહિ કાર્યક્રમની શરુઆત જેમ રઈશભાઈએ કરી હતી તેમ પુર્ણાહુતિ પણ તેમણે જ કરી..એમની હઝલ સાથે...કે ( પિયર ગયેલી પતિઓની આનંદ અભિવ્યકિત)

"દિલને ઘણી છે હાશ તમારા ગયા પછી,ઓછો થયો છે ત્રાસ તમારા ગયા પછી,
દુઃખ છે મને ના ખાસ તમારા ગયા પછી.,રામો થયો છે ઉદાસ તમારા ગયા પછી.

પિયરની સાથે પ્રાસ બિયરનો મળી ગયો,રણકી રહયા છે ગ્લાસ તમારા ગયા પછી,
ખો ખો રમતી હતી તું દરરોજ તું મનેને ખેલુ છું રોજ રાસ તમારા ગયા પછી.."

હવે જ્યારે ગૃહ કવિ સંમેલન આયોજીત થાય ત્યારે ચોક્કસથી આવજો..
તો આ સાથે મીતના જય શ્રી કૃષ્ણ..!

"જેવા સાથે તેવા"

કેમ છો?
માણસ નામે જીવવું ખરેખર બહુ ભારે કામ છે..ગઈ કાલે સફર દરમ્યાન કેટ્લાક હોર્ડિંસ વાંચવા મળ્યા.."મા બાપને દુઃખ આપનારો માણસ પશુ છે..! " પણ હુ આ વાત સાથે સંમત નથી..મે ઘણા મા બાપોને જોયા છે,જેઓ માત્ર જવાબદારી પુરી કરી દેવાના બહાના હેઠળ પોતાના સંતાનોને બરબાદ કરતા હોય છે. "દિક્રરીને ના પરણાવીએ તો સમાજ શુ કહેશે." મારા જીવનમા જોયેલી ઘટના જ કહું. કોલેજ ટોપ કરતી છોકરીને એની મા કે જે સરકારી નોકરી કરતી હતી તેને ઍટલા માટે પરણાવી દીધી કારણ કે છોકરીનો બાપ નહોતો..આજે એ છોકરીને જોઉ છુ ત્યારે અપાર વેદના અનુભવુ છુ.વિસ્મયતાથી ભરેલી આંખો સાવ ઉંડી ઉતરી ગઇ હતી..હંમેશા ઝરણા જેમ ઉછળતી તે હવે માત્ર એક શો - પીસ બની ને રહી ગઈ.છોકરો બી.કોમ. પાસ,૪૦૦૦ રુપિયાની નોકરી કરે અને છોકરી એને મદદ કરવા બીજી નોકરી કરે.. બીજા એક કિસ્સામા કાદવ વચ્ચે કમળ ખીલે તેમ છોકરી ભણે.ખુબ અરમાનો પોતાન ખભે ઉભા થવાના,પણ એને પણ પરણાવી દેવાઈ, તે પણ એક શરાબ પીતા નાના નોકરીયાત સાથે...."દિકરો ઘરે આવે ને માતા પિતા, "કેમ છે દિકરા?" એમ પુછવાને બદલે એમ પુછે કે શુ લાવ્યો..? તો કેવું લાગે..? " અરે મા બાપ અહિ સુધી કહી દે કે,"તમને પેદા શુ કામ કર્યા કમાવા માટે જ ને...!" તો આવા મા બાપનુ શું કરવુ? આવા તો કેટકેટલા કિસ્સા જોયા છે..મા બાપને ભુલશો નહિ કહેનારાઓને એક વાર આવ દિકરા દિકરીઓની વેદના બતાવવા જેવી છે.મા બાપ હોવું એટલું જ પુરતું નથી પણ મા-બાપ બનવું વધારે અગત્યનું છે. પણ કોણ સમજાવે કે જુલ્મ કરતા મા-બાપના દિકર દિકરીઓ પર શુ વીતે છે.?
અને આનો ઉપાય એ જ છે કે "જેવા સાથે તેવા" ભલે ગામ આખુ જે કહેવાનુ હોય તે કહે.. કેમ ખરુ કહ્યુને ?

આવા જ એક કિસ્સાનો એક ભાગ અને એક સાક્ષી..-મીત

Wednesday, May 6, 2009

ભગવાનને તેમના ફેક્સનો જવાબ

પ્રિય હરિ,
સૌપ્રથમ તો કેમ છો? કુશળ હશો અને રહો...તમારો ફેકસ મળ્યો.ગમ્યું કે ચાલો તમને યાદ તો આવ્યુ કે મીત તમને યાદ કરે છે..સાચુ કહુ તો એક વાતે ખુબ ખુશ છુ..તમે જેટલા દુર હોવ છો એટલા જ સારા કામો હુ કરી શકુ છુ..તમને થશે આવું કેમ ? તો સાહેબજી વાત એમ છે કે જો ઘરનું કોઇ પોલીસમા હોય તો ઘરવાળાઓના ગુન્હા વધી જતા હોય છે..અને તમે તો આખા જગતના જમાદાર !તો તમે કાયમ સાથે રહો તો ખરાબ કામો થવાની સંભાવના વધી જાય છે.હરિ પાછલા દિવસો ખુબ વસમા વીત્યા છે.તમારી યાદ પણ ખુબ આવી.થયુ ! લાવ એકાદ તમને ગમતુ ગીત ગાઉ.તમને પણ મજા પડે અને સાથે મને પણ. હરિ બધા કહે છે કે તુ ખરેખર નસીબદાર છે કે હરિવરના પત્રો મળે છે તને..હરિ મને કોઇ વાંધો નથી.તમારે જેટલાને મદદ કરવી હોય કરો.જે દી તમને દિલથી યાદ કરુ તે દી ઝડપથી આવી જજો.આમ પણ હવે ગાંઉ છુ,
"દુઃખ ભરે દિન બીતે રે ભૈયા
સુઃખ ભરે દિન આયો રે......."
હા, હરિ ખુબ ખુશ છુ અંધજન શિક્ષણ મંડળમા કામ કરીને..અહિના સંચાલકો ખુબ સારા છે.મારા નવા નવા વિચારો ને હંમેશા પ્રોત્સાહન આપે છે.કોઇ પણ કામ સફળ રીતે પતે એટ્લે એમના તરફથી શુભેચ્છા ચોક્કસ મળે.ભુલ કરુ તો ઠોકર નથી મારતા પણ ટ્કોર કરી મઠારે છે.અને હા બાળકો માટે પુસ્તકો બનાવવાની શરુઆત મે કરી દીધી છે.લગભગ બધા વિષયોમા શરુઆત થઈ ગઇ છે. હરિ એક મસ્ત કિસ્સો કહુ જે હમણા મારી સાથે થયો.શહેરના એક જાણીતા સજ્જ્ને(એમની દ્રષ્ટિએ સજ્જન)એમ પુછ્યુ કે તારી તબિયત કેમ વધે છે? મે કહ્યુ કે સાહેબ મારા જીવનમા હવે શાંતિ છે.મારા બોસ બહુ સારા છે, તો એ સજ્જ્ને એમ કહ્યુ કે ના તું અંધ લોકો માટે કામ કરે છે તો તારુ કામ નહિ જોવાતુ હોય.મે કહ્યુ," સર તમારી વાત સાચી છે કારણ કે અંધલોકોમા સંવેદનશીલતા વધુ હોય છે.અને એ લોકોને શ્રધ્ધા હોય છે કે તેઓ જેને કામ સોંપે છે તે કામ સમયસર પુરુ થાય છે,એટ્લે તેઓ મારા કામ ને નથી જોતા.કારણ કે એમને મારા પર સંપુર્ણ શ્રધ્ધા છે.અને સર તમારા જેવા પ્રોફેશનલમા આ સંવેદનશીલતા નથી હોતી. " હરિ એમનું મોઢું જોવા જેવુ હતું.બાકી હરિ શુ ચાલે છે ? તમે એક કળી મારા માટે ખીલવી હતી.મને ખબર છે.પણ તમે બીજા કોઇ માટે ખીલવેલી કળી પહેલેથી જોઈ લીધી હતી.આમ પણ તમે રોજ બધા માટે કંઈ ને કંઈ કરતા રહો છો.પણ બધાને કયાં તમારી કદર છે. જો કદર હોત તો માણસ થઈને ના જીવત..?
તો બસ ચાલો હવે રજા લંઉ..

કંઈ કામ હોય તો સપનામા આવી જણાવી જજો...
મીતના જય શ્રી કૃષ્ણ.