મોદીસાહેબ અને એમની પાર્ટીની વિચારસરણી કયા પ્રકારની છે એ ખબર જ નથી પડતી. દેશભક્તિ બાબતે ગામ ગજવીને ઢંઢેરો પીટતી મોદી સરકાર કાશ્મીરમાં ભારત સામે જ ભારોભાર આડા ફાટવાની વૃતિ અને સંભાવના ધરાવતી મહેબુબા આગળ ઘુંટણ ટેકવે છે. અને ઉપરથી બેનને પાછા અલગાવવાદીઓ સાથે કૂણી લાગણીઓ છે એ પ્રકારની વાત મોટાભાગના પત્રકારો મહેબુબા મુફતીના અળવીતરા સ્વભાવ અને એ સિવાયની વાતોને કારણે કરી ચુક્યા છે.(મતલબ વખોડી ચુક્યા છે) જે રામ માધવ અખંડ ભારત બનાવવાનો હુંકાર કરે છે (જે તદ્દન વાહિયાત અને નકરો વાણીવિલાસ છે) એ જ પાછા આ આખા કેસમાં મધ્યસ્થી કરે છે. મતલબ હિન્દુત્વની વાતને સત્તાની વાત આવે તો સાઈડ પર હડસેલતા એમને પણ વાર નથી લાગતી.બીજી બાજુ મોદીસાહેબ મેક ઈન ઈન્ડિયાના નારા બુલંદ કરે છે અને ભારતની સિટીઓને સ્માર્ટ બનાવવા માઈક્રોસોફટ અને આઈબીએમને કામગીરી સોંપવા ઉત્સુક જોવા મળે છે. સ્વદેશી અપનાવવાની ચળવળ સાથે જે પાર્ટીના પોતાના છેડા હોય તે જ પાર્ટીના મોદી સાહેબની આ ડબલ ઢોલ જેવી વાત ગળે ઉતરતી નથી. અને એ જ મોદીસાહેબના કિસાન મેલા માટે ૧૦૦ કરોડથી વધુ ખર્ચાયા. (એક એક લાખની સહાય પણ વ્યક્તિગત ધોરણે કરી હોત તો ૧૦૦૦૦ ખેડુતોને રાહત આપી શકાઈ હોત.) સબસીડી છોડવાની વાત કરતા વડાપ્રધાનશ્રીની સભા જાજરમાન શા માટે હોવી જોઇએ ? ભુતપુર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘ જ્યારે સત્તામાં હતા અને મૌન રહેતા તો મોદીસાહેબ અને એમના ચાહકો કાયમ કહેતા કે આપણા વડાપ્રધાનને મૌન રહેવાની ટૅવ છે. અને હંમેશા મોટાભાગના ભાષણોમાં વડાપ્રધાન બનવા પહેલા "એક્વાર વડાપ્રધાન બનાવો પછી તડને ફડ કરી બતાવીશ" જેવી અને જેટલી વાતો થતી તે બધી આજે હવામાં ગોળીબાર જેવી ભાસે છે. અને હવે એમને સમજાય છે કે દેશના વડાપ્રધાન તરીકે એક છીંક ખાવા માટે પણ ચાર વાર વિચારવું પડે. સત્તા પર આવતા જ પાકિસ્તાન જોડે બે-બે હાથની કરી જ લઈશું એવી જે ચાનક હતી ત્યાં આજે તેઓની નીતિ બકરીની જેમ બેં-બેં કરતી હોય એવું લાગે છે. અને આ બધા બનાવો પરથી એમ લાગે કે જાણે મનમોહન સિંધની હાય લાગી હોય કે ," મુજ વીતી તુજ વીતશે ધીરજ રાખ બાપુડિયા." મુત્સદીપણું મોદી સાહેબમાં એક વહીવટી વ્યકતિ તરીકે ભરપેટ છે પણ સાહેબની સામે એમની પાર્ટી આવે એટલે એ વહીવટી કુશળતા દેશ અને પાર્ટી સામે વહેંચાય જાય છે. અને પરિણામે હાલના તાયફા થતા જોવા મળે છે.
કરેલા કરમ અંહિ જ ભોગવવા પડે એ કહેવત અનુસાર હવે મોદીસાહેબની મંડળીના હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે.રામમંદિરના મુદ્દે વોટ વસુલતી એમની જ પાર્ટી હવે એ મુદ્દે મૌન સેવીને બેઠી છે. વિરોધીને જડમૂળથી નાબુદ કરવાની વૃતિ ધરાવતા મોદીજી અને અમિત શાહની અવળચંડાઈ ગુજરાતમાં ચાલી પણ કેન્દ્રમાં એમના માટે જ બુમરેંગ સાબિત થઈ છે. જે આપણી સાથે છે એ વિકાસપુરુષ છે અને જે આપણી વિરુધ્ધ છે તે વિકાસવિરોધી અને દેશદ્રોહી છે એવું માનનારી મોદીસરકારની આ દાનતનો સજ્જડ પુરાવો દિલ્લીમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સેંકડો પોલીસકર્મીઓની મૂક હાજરીમાં કન્હેયા પર વકીલોએ કોર્ટ પરિસરમાં જ કરેલા આક્રમણએ સાબિત કર્યુ છે. મતલબ કે કોઇ માણસ અપરાધી છે કે નહિ એ નક્કી કરવા માટે રચાયેલી કોર્ટ જેવી માતબર સંસ્થાઓ તેલ લેવા જાય, પહેલા આ લોકો જ ફેંસલો લેશે અને સજા પણ આપશે. અને આવા પ્રકારે કેળવાયેલી માનસિક્તાઓ એવી રીતે ભેળસેળ પામી છે કે, "હવે ખરેખર કોણ દેશદ્રોહી છે અને કોણ નથી એની ખબર જ નથી પડતી." ન્યુઝ ચેનલો પર ઇન્ટરવ્યુ આપતા પેલા ત્રણ યુવાનો કે જેઓએ આખી આગ જેએનયુમાં ભડકાવી એમ કહેવાય છે તેઓ કહે કે અમે કોઇને પણ મૃત્યુદંડ આપવાના વિરોધી છીએ અને અફઝલને પોતાના બચાવની પૂરતી તક ન અપાઈ હોવાની કેફિયત રજુઆત કરી. મતલબ વર્ષો સુધી અફઝલના કેસની સુનવણી કરીને ફેંસલો લેનારી સુપ્રીમ કોર્ટની આખી બેંન્ચ મુરખી અને એ લોકો સમજદાર. અને એવી જ રીતે કન્હૈયાની ધોલ ધપાટ કરનારાઓ પણ આ જ તાલે ઝુમી રહ્યા છે.
મૂળ મુદ્દાઓ ભુલીને આમ ભટકવાનું ચાલુ રહેશે તો આ બધા કકળાટ વચ્ચે શેરબજારની હાલત ખરાબ છે તે એવી જ ખરાબ રહેશે. રુપિયો કરગરે છે અને એ કરગરતો જ રહેશે અને બેકારી પૂરજોશમાં છે તે કાયમી રહેશે અને દેશમાં મંદી છે એ પણ એમ જ રહેશે. ત્રણ-ચાર પૈસાના ઘટાડા સામે ૩૦થી ૪૦ પૈસાનો વધારો પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાતો રહે છે. ઘણીવાર મારા રેડિયો શોમાં મે કહ્યું હતું અને આજે પણ એ જ કહેવુ છે કે જો ભારતના નાગરિકોના બધા જ ઓફિશિયલ ડોક્યુમેન્ટસમાંથી જાતિ અને ધર્મ કાઢી નાંખવામાં આવે તો લગભગ મોટાભાગની બલાઓ નાબુદ થાય. કારણ કે બધી મોકાણ ધર્મ અને જાતિથી મળતા લાભો, સહાનુભુતિ , ધિક્કાર, અને અહંકાર સાથે જોડાયેલી છે. પણ ધર્મ અને જાતિ નાબૂદ કરવા જેવા નિર્ણય લેવાની તાકાત તો રામજાણે કઈ પેઢીમાં આવશે. અને પડતા પર પાટું જેવી આપણી મોટી કમનસીબી એ છે કે આપણી પાસે સ્પષ્ટ મુદ્દાઓ પર સ્પષ્ટ રજુઆત કરતો વિરોધપક્ષ પણ નથી.
શાહરુખ અને આમીરનો વિરોધ કરવા રોડ પર નીકળતી પ્રજા સ્કુલ ઓટોના રીક્ષા ચાલકોની હલકી દાદાગીરી અને વેકેશનના મહિનાઓ માટે પણ પૈસા ઉઘરાવવાની લૂંટ આગળ મીંઢા બનીને રહે છે તો એને અસહિષ્ણુતા જ કહેવાય ને. રસ્તા વચ્ચે ચાર જણા મળીને એક જણની ધોલધપાટ કરતા હોય ત્યારે મુક પ્રેક્ષક બની રહેતી પ્રજા કયા પ્રકારની સહિષ્ણુતા દાખવતી હોય છે ?
ચચરાટ
૨૫૧માં મળતો મોબાઈલ જોઇને હરખાયો
પછી
એના માટે આવેલા રીપોર્ટ જોઇને મુંઝાયો.
પછી
બચી ગયો એમ જાણીને હું હરખાયો.
-સહુના મનનો મીત
ન્યુઝીલેન્ડ
કરેલા કરમ અંહિ જ ભોગવવા પડે એ કહેવત અનુસાર હવે મોદીસાહેબની મંડળીના હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે.રામમંદિરના મુદ્દે વોટ વસુલતી એમની જ પાર્ટી હવે એ મુદ્દે મૌન સેવીને બેઠી છે. વિરોધીને જડમૂળથી નાબુદ કરવાની વૃતિ ધરાવતા મોદીજી અને અમિત શાહની અવળચંડાઈ ગુજરાતમાં ચાલી પણ કેન્દ્રમાં એમના માટે જ બુમરેંગ સાબિત થઈ છે. જે આપણી સાથે છે એ વિકાસપુરુષ છે અને જે આપણી વિરુધ્ધ છે તે વિકાસવિરોધી અને દેશદ્રોહી છે એવું માનનારી મોદીસરકારની આ દાનતનો સજ્જડ પુરાવો દિલ્લીમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સેંકડો પોલીસકર્મીઓની મૂક હાજરીમાં કન્હેયા પર વકીલોએ કોર્ટ પરિસરમાં જ કરેલા આક્રમણએ સાબિત કર્યુ છે. મતલબ કે કોઇ માણસ અપરાધી છે કે નહિ એ નક્કી કરવા માટે રચાયેલી કોર્ટ જેવી માતબર સંસ્થાઓ તેલ લેવા જાય, પહેલા આ લોકો જ ફેંસલો લેશે અને સજા પણ આપશે. અને આવા પ્રકારે કેળવાયેલી માનસિક્તાઓ એવી રીતે ભેળસેળ પામી છે કે, "હવે ખરેખર કોણ દેશદ્રોહી છે અને કોણ નથી એની ખબર જ નથી પડતી." ન્યુઝ ચેનલો પર ઇન્ટરવ્યુ આપતા પેલા ત્રણ યુવાનો કે જેઓએ આખી આગ જેએનયુમાં ભડકાવી એમ કહેવાય છે તેઓ કહે કે અમે કોઇને પણ મૃત્યુદંડ આપવાના વિરોધી છીએ અને અફઝલને પોતાના બચાવની પૂરતી તક ન અપાઈ હોવાની કેફિયત રજુઆત કરી. મતલબ વર્ષો સુધી અફઝલના કેસની સુનવણી કરીને ફેંસલો લેનારી સુપ્રીમ કોર્ટની આખી બેંન્ચ મુરખી અને એ લોકો સમજદાર. અને એવી જ રીતે કન્હૈયાની ધોલ ધપાટ કરનારાઓ પણ આ જ તાલે ઝુમી રહ્યા છે.
મૂળ મુદ્દાઓ ભુલીને આમ ભટકવાનું ચાલુ રહેશે તો આ બધા કકળાટ વચ્ચે શેરબજારની હાલત ખરાબ છે તે એવી જ ખરાબ રહેશે. રુપિયો કરગરે છે અને એ કરગરતો જ રહેશે અને બેકારી પૂરજોશમાં છે તે કાયમી રહેશે અને દેશમાં મંદી છે એ પણ એમ જ રહેશે. ત્રણ-ચાર પૈસાના ઘટાડા સામે ૩૦થી ૪૦ પૈસાનો વધારો પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાતો રહે છે. ઘણીવાર મારા રેડિયો શોમાં મે કહ્યું હતું અને આજે પણ એ જ કહેવુ છે કે જો ભારતના નાગરિકોના બધા જ ઓફિશિયલ ડોક્યુમેન્ટસમાંથી જાતિ અને ધર્મ કાઢી નાંખવામાં આવે તો લગભગ મોટાભાગની બલાઓ નાબુદ થાય. કારણ કે બધી મોકાણ ધર્મ અને જાતિથી મળતા લાભો, સહાનુભુતિ , ધિક્કાર, અને અહંકાર સાથે જોડાયેલી છે. પણ ધર્મ અને જાતિ નાબૂદ કરવા જેવા નિર્ણય લેવાની તાકાત તો રામજાણે કઈ પેઢીમાં આવશે. અને પડતા પર પાટું જેવી આપણી મોટી કમનસીબી એ છે કે આપણી પાસે સ્પષ્ટ મુદ્દાઓ પર સ્પષ્ટ રજુઆત કરતો વિરોધપક્ષ પણ નથી.
શાહરુખ અને આમીરનો વિરોધ કરવા રોડ પર નીકળતી પ્રજા સ્કુલ ઓટોના રીક્ષા ચાલકોની હલકી દાદાગીરી અને વેકેશનના મહિનાઓ માટે પણ પૈસા ઉઘરાવવાની લૂંટ આગળ મીંઢા બનીને રહે છે તો એને અસહિષ્ણુતા જ કહેવાય ને. રસ્તા વચ્ચે ચાર જણા મળીને એક જણની ધોલધપાટ કરતા હોય ત્યારે મુક પ્રેક્ષક બની રહેતી પ્રજા કયા પ્રકારની સહિષ્ણુતા દાખવતી હોય છે ?
ચચરાટ
૨૫૧માં મળતો મોબાઈલ જોઇને હરખાયો
પછી
એના માટે આવેલા રીપોર્ટ જોઇને મુંઝાયો.
પછી
બચી ગયો એમ જાણીને હું હરખાયો.
-સહુના મનનો મીત
ન્યુઝીલેન્ડ